હાલત એવી છે કે હવે કોંગ્રેસના કોઈ નેતા ભાજપમાં જોડાય એની કોઈને નવાઈ લાગતી નથી, આમ છતાં પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જેવા આગેવાન પણ કોંગ્રેસ છોડે ત્યારે ગુજરાતના રાજકારણમાં આંચકા અનુભવાય એ સ્વાભાવિક છે. અર્જુનભાઈની સાથે રાજુલાના ભૂતપૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરના ભાજપપ્રવેશ પછી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યા ૧૭માંથી ઘટીને ૧૪ થઈ ગઈ છે. હજી બીજા કોંગ્રેસી ધારાસભ્યો કમલમના દરવાજે દસ્તક દેવા તૈયાર છે એ જોતાં કહી શકાય કે લોકસભાની ચૂંટણી ટાણે જ ભાજપે જનોઈવઢ ઘા કરીને કોંગ્રેસના બાર વગાડી દીધા છે!
ભાજપનો આક્રમક મૂડ અને ગુજરાતની લોકસભાની તમામ-૨૬ બેઠક પાંચ લાખની સરસાઈથી જીતવાનું લક્ષ્ય જોતાં ચૂંટણી સુધીમાં હજી કેટલાક કોંગ્રેસી ધારાસભ્યો-અગ્રણીઓ ભાજપ સામે નમો નમો કરતાં આવે એવી શક્યતા છે.
આમ તો આમાં કંઈ નવું પણ નથી. ગુજરાતમાં (અને રાષ્ટ્રીય કક્ષાએ પણ) કોંગ્રેસની સ્થિતિ અત્યંત નબળી અને અંગ્રેજીમાં જેને વહ્નરે (Vulnerable) કહી શકાય એટલે કે જેના પર તમે આસાનીથી પ્રહાર કરી શકો એવી છે. પક્ષને જિતાડી શકે એવો નેતા નથી, કાર્યકરોનું નેટવર્ક નથી, પૈસા નથી અને ભવિષ્યની દિશા નથી. વળી, કોંગ્રેસમાં રહીને સરકારની દુશ્મની વહોરવાનું કોને પોસાય? આ સ્થિતિમાં સમય વેડફવા કરતાં સત્તાપક્ષ સાથે જવાનું સૌ પ્રસંદ કરે એટલે કોંગ્રેસનું નેતૃત્વ ધારે તો પણ ભાજપપ્રવેશની આ લહેર અટકાવી શકે એમ નથી.
આ બધાની વચ્ચે, ભાજપે ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલાં જ ગુજરાતની ૧૫ બેઠક માટે ઉમેદવારોનાં નામ ઘોષિત કરી દીધાં છે. ગુજરાતમાં ભાજપ અત્યંત મજબૂત છે અને મોદીના નામે જ જીતવાની ગૅરન્ટી છે એટલે આમ તો ઉમેદવારોની પસંદગીમાં પક્ષ નો રિપીથી માંડીને કોઈ પણ નિર્ણય લઈ શકે એમ હતો, પરંતુ અમુક અપવાદ સિવાય ભાજપે નો રિપીટનું જોખમ લેવાનું ટાળ્યું છે.
This story is from the March 18, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 18, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.