સુંદર ઉદ્યાનો, નદીનો રમણીય કિનારો અને ખુશનુમા વાતાવરણ માટે સેલવાસ સુવિખ્યાત છે. ગયા મહિને આ સૌરભમાં અધ્યાત્મનું એક નવું પુષ્પ ઉમેરાયું છે, જે ખીલ્યું છે ખળખળ વહેતી દમણગંગા નદીના તટે કુડાચા ગામે. સેલવાસનો શહેરી વિસ્તાર પાર કરીને ૧૦ કિલોમીટર દૂર પ્રકૃતિના સાંનિધ્યમાં ૐૐ આકારનું મંદિર શોભી રહ્યું છે. દૂરથી જ મંદિરની ધજા શ્રદ્ધાળુને શિવજીની સમીપ ખેંચી લાવે છે. આ મંદિર છે શ્રી નિખિલેશ્વર મહાદેવ મંદિર.
ૐ આકારમાં જ મંદિર કેમ?
મંદિરના સંચાલક સિદ્ધાશ્રમસાધક પરિવારના પ્રવીણભાઈ પટેલ (પી.જે. પટેલ) કહે છેઃ ‘મારા ગુરુદેવ નિખિલેશ્વરાનંદજી કહેતા કે એવી સેવા કરો કે ઈતિહાસ તમારી નોંધ લે. ૐૐ આકારનું શ્રી નિખિલેશ્વર મહાદેવ મંદિર માત્ર સાક્ષીભાવથી બનાવ્યું છે. ગુરુ નિખિલેશ્વરાનંદની પ્રેરણા અને આશીર્વાદ જ મંદિરનિર્માણ માટે મુખ્ય પરિબળ છે. વિશ્વકર્મારૂપમાં ગુરુદેવે આ પ્રેરણા આપી અને એમના પ્રતાપે જ આ કાર્ય પાર પડ્યું છે. આ મંદિરનો તખ્તો તો છેક ૧૯૯૬માં ઘડાયો. અમે શંકરાચાર્યજીની અધ્યાત્મ શિબિરમાં બેઠા હતા, જ્યાં એ શંકર ભાષ્યના શ્લોકની પરિભાષા સમજાવતા હતા. એમણે કહ્યું કે જેટલા અઢી અક્ષરના શબ્દો તુચ્છ છે અને એમાં શિષ્ય શબ્દ સૌથી વધુ તુચ્છ છે. પછી એમણે નિખિલેશ્વરાનંદજી સામે તાકીને પૂછ્યું: નારાયણ (નિખિલેશ્વરાનંદજીનું સંસારી નામ), તને કોઈ શિષ્ય મળ્યા?’
هذه القصة مأخوذة من طبعة March 18, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 18, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.