થોડી વાર કલ્પના કરી જુઓ કે આપણે આજથી ૧૬૦–૧૭૦ વર્ષ પહેલાંના સમયમાં જીવી રહ્યા છીએ. ઈંગ્લૅન્ડ, પોર્ટુગલ, ફ્રાન્સ, સ્પેન, હોલૅન્ડ સહિતના દેશોના વેપારીઓનો એશિયા સાથે મોટો કારોબાર ચાલે છે. ભારત, બર્મા, થાઈલૅન્ડ, મલયેશિયા, જાવા-સુમાત્રા, વગેરે દશોમાંથી વહાણો દ્વારા કાચો માલ યુરોપના દેશોમાં પહોંચે છે. ત્યાંની ફૅક્ટરીઓમાં જુદી જુદી વસ્તુ તૈયાર થઈ એમાંથી ઘણીખરી જહાજોમાં ભરી ભરીને એશિયામાં ઠાલવવામાં આવે છે.
એ વખતે યુરોપ અને એશિયા વચ્ચે આવ-જા કરતાં જહાજોને એક ખેપ કરતાં ઘણો સમય લાગતો. એનું કારણ એ હતું કે આ વહાણોએ આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને, એના એકદમ દક્ષિણ તરફના બંદર કૅપ ઑફ ગુડ હોપ થઈને અવરજવર કરવી પડતી. આ પ્રવાસ લાંબો તો હતો જ, સાથે ખૂબ થકવી દેનારો અને ખતરાથી ભરપૂર પણ હતો.
છેવટે વર્ષ ૧૮૫૮માં ફર્ડિનાન્ડ દ લેસેપ નામના ઈજનેરને બે સમુદ્રને એક નહેર (કૅનાલ)થી જોડવાનું સૂઝ્યું. એ નહેર એટલે યુરોપની દક્ષિણે આવેલા ભૂમધ્ય સમુદ્ર (મેડિટેરિયન સી) અને રાતા સમુદ્ર (૨ેડ સી)ને જોડતી સુએઝ કૅનાલ. ૧૮૫૯માં કૅનાલનું નિર્માણકાર્ય શરૂ થયું અને દાયકા બાદ (૧૮૬૯)માં એ પૂર્ણ થયું. આ નહેર ૧૯૩.૩ કિલોમીટર લાંબી અને આશરે બાવીસ મીટર ઊંડી છે. આ કૅનાલને કારણે યુરોપ જતાં-આવતાં જહાજોએ આફ્રિકા ખંડનો ચકરાવો મારવાની જરૂર રહી નથી. મેડિટેરિયન સી એટલે ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રમાંથી પસાર થઈ આ જહાજો ઘણો સમય બચાવી શકે છે. એને કારણે-આ કૅનાલને લીધે યુરોપ અને એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકાના પૂર્વ તરફના દેશો અને મિડલ ઈસ્ટના વિસ્તારો સુધી પહોંચવાનું સહેલું બન્યું છે.
This story is from the February 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.