જરા કલ્પના કરોઃ મધ્ય પૂર્વના દેશમાં એક હિંદુ મંદિર સર્જાય છે, જે જ માટે મુસ્લિમ રાજા જમીન દાનમાં આપે, જ્યાં લીડ આર્કિટેક્ટ ખ્રિસ્તી હોય, ફાઉન્ડેશન ડિઝાઈનર બુદ્ધિસ્ટ હોય, પ્રોજેક્ટ ડિઝાઈનર શીખ હોય, કન્સ્ટ્રક્શન કંપની પારસીમાલિકીની, પ્રોજેક્ટના ચૅરમૅન જૈન પરંપરામાંથી આવતા હોય અને... ચીફ કન્સલ્ટન્ટ તો એવા, જે ધર્મમાં જ માનતા ન હોય! દુનિયાભરની ૬૦,૦૦૦થી વધુ નાની-મોટી વ્યક્તિએ જેની ઈંટ મૂકી હોય. એક એવું મંદિર, જેને વિશ્વસમસ્ત વધાવી લે, એનો ઉત્સવ ઊજવે.
વૈશ્વિક સંવાદિતાનું આવું બેનમૂન ઉદાહરણ એટલે અબુ ધાબીમાં સર્જાયેલું બીએપીએસ હિંદુ મંદિર. ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મંદિરનું ઉદ્ઘાટન થશે.
વડા પ્રધાનના બે દિવસના અબુ ધાબીપ્રવાસ દરમિયાન ૧૩ ફેબ્રુઆરીની સમી સાંજે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં યોજાનારા આહલાન મોદી (નમસ્તે મોદી) કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પચાસ હજારથી વધુ ભારતીયોએ રજિસ્ટ્રેશન કરાવ્યાં છે. બીજા દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરી ને વસંત પંચમીના શુભ દિવસે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા મહંત સ્વામી તથા અન્ય સદ્ગુરુ સાધુસંતોની ઉપસ્થિતિમાં બીએપીએસ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. માત્ર સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જ નહીં, પરંતુ ભારત અને દુનિયાના અન્ય દેશોમાં વસતા શ્રદ્ધાળુઓ આ ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ભારત બહાર વસતા ભારતીયોમાં યુએઈ ચોથા ક્રમાંકે આવે છેઃ યુએઈમાં ૩૮ લાખથી વધુ ભારતીયો વસે છે.
૧૯૯૭માં પ્રમુખ સ્વામીએ શારજાહના રણમાં મંદિરસર્જનના કરેલા સંકલ્પથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં હિંદુ સ્થાપત્યશૈલીના ધર્મસ્થળને શાસક શેખની મંજૂરી... આમ રચાયો ઈતિહાસ.
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની યુએઈની આ સાતમી મુલાકાત હશે. હજી ૨૦૨૩ના ડિસેમ્બરમાં પર્યાવરણ જાળવણીને લગતી વૈશ્વિક પરિષદમાં હાજરી આપવા એ એક દિવસ માટે દુબઈ ગયેલા. બીજી બાજુ, ૨૦૨૪ના પ્રારંભમાં યુએઈ પ્રેસિડન્ટ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપી.
હિંદુ મંદિર તરફ પાછા ફરીએ તો, અશક્ય લાગતું આ કાર્ય કેવી રીતે શક્ય બન્યું?
This story is from the February 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 19, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.