૨વિની ઉંમર ૪૦ વર્ષની છે. એ મલ્ટિનૅશનલ કંપનીમાં સારા પગારે કામ કરે છે. એણે અત્યારથી જ પોતાનું વસિયતનામું બનાવી રાખ્યું છે. મેઘના હજી હમણાં ૩૭ની થઈ. એ પણ પોતાનું વિલ તૈયાર કરી રહી છે તો ૪૫ વર્ષના રોહિતે એ માટે પોતાના ફાઈનાન્સિયલ પ્લાનરની સલાહ લેવા માંડી છે.
બીજી બાજુ,બિઝનેસમૅન મહેશભાઈ ૬૫ના થયા છે, પણ એમણે હજી વસિયતનામું બનાવવાનો વિચાર કર્યો નથી. હિનાબહેન બે વરસ પહેલાં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયાં છે. એમની પાસે સારીએવી બચત-મિલકત છે, પરંતુ એમને અત્યારે વિલ બનાવવાની જરૂર લાગતી નથી. આમ જૂની પેઢી ઉંમરના ઢળતા પડાવ પર હોવા છતાં વિલ બનાવવા ઉત્સુક નથી કે વિચારતી નથી, જ્યારે હજી ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેની વિલનો વિચાર જ નહીં, એ બનાવવાનો અમલ પણ કરવા લાગી છે. અલબત્ત, એ ચાહે ત્યારે વિલમાં ફેરફાર કરી શકે છે, પણ એણે એક વિલ તો બનાવ્યું જ છે. આજની પેઢી માને છે કે જીવનમાં ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે વિલ બનાવી રાખવું પણ આવશ્યક છે. ૨૦૨૦-૨૦૨૧ના કોવિડના કપરા કાળે યુવાપેઢીમાં બચત-રોકાણ સાથે વિલનાં મહત્ત્વનાં બીજ રોપી દીધાં હતાં, જે હવે ધીમે ધીમે નવી જનરેશનમાં ટ્રેન્ડ બનતો જાય છે. કમનસીબે, જૂની પેઢી હજી પણ આ બાબતે હોવી જોઈએ એટલી જાગ્રત થઈ નથી.
વિલ બનાવવાનું મહત્ત્વ
કોવિડ કાળમાં અનેક લોકોનાં અણધાર્યાં મોત જોયા બાદ અને હવેના સમયમાં તબીબી વિજ્ઞાનના વિકાસ વચ્ચે પણ યુવાવયમાં હાર્ટ અટેક, બ્રેન સ્ટ્રોક, ડાયાબિટીસ, કૅન્સરના વધતા કિસ્સા, વગેરેએ યુવાપેઢીને વિલ બનાવવાની નક્કર શીખ આપી છે. ઊંચા પગાર સાથે કામ કરતા યુવા અધિકારીઓ અને વિવિધ વ્યવસાયમાં સફળ કારકિર્દી ધરાવતા યુવાનોમાં પોતાના પરિવારનાંહિતમાં વિલ બનાવી રાખવાનું મહત્ત્વ વધતું રહ્યું છે. આ લોકો જીવનની વાસ્તવિકતા અને અનિશ્ચિતતાનો સ્વીકાર કરતાં થઈ ગયા છે. પોતાના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારજનો-સ્વજનોને મિલકત મેળવવામાં મુશ્કેલી ન પડે અને આ કામ સરળતાથી પાર પડે એ ઉદ્દેશ સાથે આજની યુવાપેઢી જીવનના મધ્ય પડાવમાં જ વિલ બનાવી લેવાનું મુનાસિબ માનવા લાગી છે.
Esta historia es de la edición January 29, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 29, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
રમત રમાડે રાવણ...
રાજકોટના ‘ટીઆરપી ગેમ ઝોન’ની આગમાં કંઈકેટલાં સપનાં, આશા-ઉમ્મીદ બળીને રાખ થઈ ગયાં. હવે દાઝ્યા પર બિનઅસરકારક મલમ જેવાં બદલી, સસ્પેન્શન, ધરપકડનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે સવાલ એ છે કે આ કરુણાંતિકાના અસલી ગુનેગાર હાથમાં આવશે ખરા?
મોતની ગેમ રમનારા ફ્રી ઝોનમાં કેમ?
છેલ્લાં પાંચેક વર્ષમાં ગુજરાતમાં જાતજાતની દુર્ઘટના ઘટી છે. મોરબીમાં કૅબલ બ્રિજ તૂટવાની અને રાજકોટ અગ્નિકાંડની ઘટનાને ગુજરાત હાઈ કોર્ટે સુઓ મોટો ગણી છે. શું સ્થિતિ છે આ બધા કેસની?
પ્રકૃતિ, પાણી, પર્યાવરણનું આમ કરો જતન...
સ્વાર્થી માનવની વિધ્વંસક પ્રવૃત્તિને કારણે પૃથ્વી રસાતળ જઈ રહી છે ત્યારે દેશ-દુનિયાના વિચારવંત લોકોએ ધરતીને બચાવવા કમર કસી છે. જળ, જમીન ને વાયુ જેવાં કુદરતી પરિબળોને પૂરતો આદર આપ્યા વિના આ કામ થાય એમ નથી. મુંબઈ–ગુજરાતના કેટલાક પર્યાવરણવીરો જ નહીં, પણ અમુક સરકારી વિભાગો પણ જોમ-જુસ્સાથી અવનિને આબોહવાની વિષમતામાંથી ઉગારવાના પ્રયાસોમાં લાગેલા છે. એક ઝલક એમની ભગીરથ ઝુંબેશની.
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.