બરીધ્વંસનાં એ દશ્યો આજે પણ મારી આંખો સમક્ષ તરે છે. ૧૯૯૨ની છ ડિસેમ્બરે સવારે ૧૦:૪૦થી સાંજે પોણા છ સુધી હું અયોધ્યામાં જ હતો, જ્યારે કારસેવક જેવા દેખાતા લોકોએ બાબરી મસ્જિદના ત્રણ ગુંબજને જમીનદોસ્ત કરી દીધા હતા.
એ સવારે બાબરી મસ્જિદની આસપાસનો આખો વિસ્તાર ત્રણેક લાખ લોકોથી ઊભરાતો હતો. રામમંદિરના બાંધકામની સેવામાં આપવા માટે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી ટ્રેન અને બસમાર્ગે લોકોનાં ધાડાં અયોધ્યા નગરીમાં ઊતરી આવ્યાં હતાં. નગરની શેરીઓમાં એ સૌ શાંતિપૂર્વક આગળ વધી રહ્યાં હતાં. કેટલાકે માથા પર કેસરી રંગની પટ્ટી બાંધી હતી, તો કરી વિર કે જન પોતપોતાનું યોગદાન કેટલાક હાથમાં ધાર્મિક બૅનર, ત્રિશૂળ અને ભગવાન શ્રીરામના ફોટોગ્રાફ્સ સાથે જોવા મળ્યા હતા. લોકો ભજન ગાતા, આનંદની ચિચિયારી પાડતા, તાળીઓ પાડતા, ખુશખુશાલ થઈને જય શ્રીરામના નારા લગાવતા જતા હતા.
મેં એ આખો દિવસ સીતા કી રસોઈ તરીકે ઓળખાતા મંદિરની અગાસી પર વિતાવ્યો હતો. એ સ્થળ બાબરીના ઢાંચાથી થોડે જ દૂર હતું. ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની સાથે હું ત્યાં ગયો હતો. સદ્નસીબે, ફરજ પરના કારસેવકો કેશુભાઈને ઓળખી ગયા હતા અને અમને રક્ષણ હેઠળ સીતા કી રસોઈ મંદિરની અગાસી પર લઈ ગયા હતા. મેં એક જગ્યા બરાબર પકડી લીધી હતી. અનેક વિદેશી પત્રકારો તથા તસવીરકારો પણ વિવાદાસ્પદ સ્થળે પહોંચ્યા હતા.
દિવસ પસાર થતો ગયો એમ અગાસી પર ઘણા મહાનુભાવો આવતા-જતા રહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કે.એસ. સુદર્શન, ભાજપના લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો એમાં સમાવેશ હતો. પ્રતીકાત્મક કારસેવા ધીમી ગતિએ શરૂ થઈ હતી. કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ જમીનના એકેય ભાગનો ઉપયોગ કરવાની પરવાનગી આપી નહોતી. બપોરે બારેક વાગ્યા સુધી રાજકીય નેતાઓનાં ટૂંકાં ભાષણ ચાલ્યાં હતાં. એની વચ્ચે ભક્તિગીત પણ ગવાઈ રહ્યાં હતાં.
વાતાવરણમાં તંગદિલીનો અમને અનુભવ થતો હતો અને કંઈક નવા જૂની થવાની અપેક્ષા પણ જાગી હતી, પરંતુ નીચે કંઈ નક્કર બનતું જણાતું નહોતું. મંચ પર આચાર્ય ધર્મેન્દ્ર ભાષણ કરી રહ્યા હતા. બાદમાં ઉમા ભારતી પણ લોકોને સંબોધવા આવ્યાં હતાં.
This story is from the January 22, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 22, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.