‘નાણાં વિનાનો નાથિયો’ એ કહેવત આપણે જાણીએ છીએ, પણ વિવિધ સાધનો-યોજનામાં રોકાણ કર્યા બાદ વ્યક્તિએ જો નોમિની રાખ્યા ન હોય અને યોગ્ય વિલ ન બનાવ્યું હોય તો એના અવસાન બાદ પરિવારજનો નાણાં નજર સામે હોવા છતાં પણ નાણાં વિનાના નાથિયા જેવા બની જઈ શકે છે.
દિવાળી અગાઉ વ્યાપાર-વિશ્વ કૉલમમાં આપણે નોમિની અને કાનૂની વારસદાર વચ્ચેના મૂળભૂત ફરક અને અધિકારની ચર્ચા કરી હતી. આ વખતે આપણે વિવિધ રોકાણ સાધનો-એસેટ્સ માટે નોમિની અને કાનૂની વારસદારનું મહત્ત્વ સમજવાનું છે, જેમાં જીવન વીમા પૉલિસી, બૅન્ક એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ્સનો પણ સમાવેશ થાય છે. નિવૃત્ત બૅન્કર અજિત જ્યોર્જના ઊંડા અભ્યાસ અને અનુભવોને આધારે આ સમજ પ્રસ્તુત કરવામાં આવી છે.
બૅન્ક એકાઉન્ટ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટ
બૅન્કમાં સેવિંગ્સ, કરન્ટ એકાઉન્ટ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ્સમાં પણ નોમિની રાખવાનું ફરજિયાત છે. આમ તો અગાઉથી જ આ નિયમ હતો, જેમ કે તમે બૅન્કમાં ફૉર્મ ભરો ત્યારે જ એમાં નોમિની માટે બે વિકલ્પ આપવામાં આવે છે. પ્રથમ વિકલ્પ અને બીજા વિકલ્પ એમ બે નોમિની રાખી શકાય છે. તેમ છતાં જો તમે નોમિની રાખ્યા ન હોય તો તમે બૅન્કમાં હવે પણ આ વિધિ કરી શકો. તમારે બૅન્કમાં ડીએ-૧ ભરવાનું રહે છે અને જો તમારે નોમિની રદ કરવા હોય અથવા એમાં ફેરફાર કરવા હોય તો ફૉર્મ ડીએ-૨ ભરવાનું રહે છે. આ કાર્ય તમને ગમે ત્યારે છૂટ છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 18, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 18, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.