કાલ મેઘાસવ નામની આયુર્વેદિક દવા ગુજરાતમાં અત્યારે ભારે ચર્ચામાં છે. એનો ઉપયોગ શ્વાસની તકલીફ મટાડવા થાય, પરંતુ આઘાતજનક ગણો તો ખેડા જિલ્લાનાં ગામોમાં મેઘાસવ પીનારા છ જણના શ્વાસ કાયમ માટે બંધ થઈ ગયા! chitrate આયુર્વેદ દવા મુખ્યત્વે ચૂર્ણ, ભસ્મ, ગોળી, આસવ, સૂરા, વગેરે સ્વરૂપમાં મળે. એમાં આસવ અરિષ્ઠ શ્વાસની તકલીફ મટાડતું પ્રવાહી છે, એની એક બ્રાન્ડ છેઃ કાલ મેઘાસવ.
આસવ અરિષ્ઠની ખાસિયત એ કે એને બનાવવામાં ફર્મેન્ટેશન થવાથી કુદરતી રીતે ૧૨ ટકા સુધી મિથાઈલ આલ્કોહોલ બને એટલે એને સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક દવા પણ કહેવામાં આવે છે. જો કે આસવના અમુક ઉત્પાદકો એને કેફી કે નશાકારક પીણું બનાવવા અને પીનારાને આસવના બંધાણી બનાવવા આસવમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ રાખતા કે અન્ય કેમિકલ ભેળવતા હોવાનું ચર્ચાય છે. ટૂંકમાં, આસવ પીનારી વ્યક્તિ દારૂ પીધા જેવો નશો કે કિક અનુભવે.
ખાસ જાણી લો કે આસવમાં ૧૨ ટકાથી વધુ મિથાઈલ હોય તો પીનારની આંખે અંધાપો આવી શકે, છાતીમાં દુખાવો થાય અને કોઈક સંજોગોમાં મૃત્યુ પણ થઈ શકે. ખેડાનાં અમુક ગામોની પાન કે કરિયાણાની દુકાનમાં ૩૭૫ મિલીલિટરની આસવ બૉટલ ૧૩૦ રૂપિયામાં વેચાતી. એ પીનારામાંથી છ જણનાં મૃત્યુથી વિવાદ જાગ્યો છે.
દેવ દિવાળીની આગલી સાંજે નડિયાદ પાસેના બિલોદરા ગામના યુવાન અશોક સોઢાએ ગામની દુકાનમાંથી મેઘાસવ લઈને કોલ્ડ ડ્રિન્કની જેમ આખી બૉટલ પીધું. વાસ્તવમાં દરદીએ આસવની બે ચમચી પીવાની હોય, પરંતુ નશો કરનારા આખી બૉટલ ગટગટાવી જાય. અશોકને ઘેર ગયાના અમુક કલાકો બાદ આંખે અંધારાં આવ્યાં અને પેટમાં અસહ્ય દુખાવો થયો એટલે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં એણે દમ તોડ્યો.
એ પછી ગામના નટુ સોઢા અને અર્જુન સોઢા તથા વડદલા અને બગડુ ગામવાસી સાળા (મિતેશ ચૌહાણ) બનેવી (અલ્પેશ સોઢા) અને સોજાલી ગામના વિપુલ સોઢા એમ કુલ છ જણ નશાકારક આયુર્વેદિક દવા પીવાથી મૃત્યુ પામ્યા. એમાંથી નટુભાઈના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મેવાસવમાં મિથાઈલ આલ્કોહોલ હોવાનું જણાયું.
This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 18, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.
આ રાજા તો બહુ ગુણવાન છે!
ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.
કવર સ્ટોરી
જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.