મહિને એક તરફ વિક્રમ સંવત ૨૦૮૦ના આગમનને વધાવવા દેશભરમાં દિવાળી ધામધૂમથી ઊજવાઈ રહી હતી, ૨૦૨૩નો ક્રિકેટ વર્લ્ડ કપ ભારતીય ટીમ હસ્તગત કરે એ આશાનું કિરણ દેખાઈ રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડમાં ટનલ ખોદવાનું કામ કરી રહેલા ૪૧ મજૂર કાટમાળ પાછળ ફસાતાં એમની સામે અંધકાર છવાઈ ગયો.
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા રોડ પ્રોજેક્ટ અંતર્ગત સિલ્ક્યારા ટનલ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું એ વખતે આ અકસ્માત સર્જાયો. સિલ્ક્યારા અને દંડલગાંઉ વચ્ચે બની રહેલી આશરે સાડા ચાર કિલોમીટર લાંબી ટનલનો અમુક હિસ્સો ધસી પડ્યો, એને પરિણામે ટનલમાં ૨૦૦ મીટર ઊંડે ૪૧ મજૂરો ફસાઈ ગયા. આ ઘટના ૧૨ નવેમ્બરની. એના નવ દિવસ (૨૧ નવેમ્બર) પછી પણ એ શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા મળી નથી. બચાવકાર્ય હજી ચાલી રહ્યું છે અને દિલ્હીથી ખાસ નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી છે, જે ટનલના મુખ પાસે ખોદકામ કરી મજૂરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
દુર્ઘટના બની એ દિવસથી ટીવી-સમાચાર અને અખબારોમાં આ ટનલમાં અંદર પ્રવેશવાના રસ્તાની તસવીર સતત ઝળકી રહી છે એ સિલ્ક્યારા તરફથી બોગદાની એન્ટ્રીની છે. અહીંથી ૨૦૦ મીટર અંદર બોગદામાં ચાલતાં જઈએ તો પેલા કમનસીબ શ્રમિકો મળે, પણ આ ૨૦૦ મીટરનું અંતર કાપવું સહેલું નથી, કારણ કે વાટમાં ખૂબ બધો કાટમાળ ફેલાયેલો છે. એટલો કે એણે બોગદાનું મોઢું લગભગ બંધ કરી દીધું છે.
ટનલનો અમુક હિસ્સો ધસી પડવાથી એમાં કાટમાળ છવાઈ થયો એ પછી છેક નવમે દિવસે અંદર ફસાઈ ગયેલા મજૂરોના ચહેરા જોવા મળ્યા.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 04 , 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 04 , 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
જીવનની નશ્વરતા પાંસરા થઈને જીવતાં શિખવાડી દે!
‘વક્ત’ ફિલ્મમાં જ્યોતિષીએ ભાગ્યમાં નહીં, પણ જાતમહેનતમાં માનતા ગર્વિષ્ઠ લાલ કેદારનાથને કહ્યું હતુંઃ ‘વક્ત ઈન્સાન સે કબ ક્યા કરાયે યે નહી કહા જાતા, લાલાજી. ઈન્સાન ચાય પીને કે લિયે પ્યાલી ઉઠાયેં તો હોંઠ ઔર પ્યાલી કે દરમિયાન બહોત ફાસલા નહી હોતા, મગર કભી કભી પ્યાલી કો હોંઠ તક પહોંચતે પહોંચતે બરસોં બિત જાતે હૈં...’
જસ્ટ એક મિનિટ...
આ વિશ્વમાં પ્રથમ માનવીનું સર્જન કેવી રીતે થયું
મહત્તા સમજાય છે, ગંભીરતા નહીં...
કરશે નહીં જો માનવ, પર્યાવરણની રક્ષા ગૂગલમાં જોવા મળશે જંગલ, નદી ને ઝરણાં. – અંકિતા મારુ ‘જીનલ’
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?
બાળક તરીકે આપણે કેવાં છીએ?
સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.