૧લી એપ્રિલ, ૨૦૨૪થી અમેરિકાએ વિવિધ પ્રકારના વિઝા અને અન્ય ફેસિલિટી માટેની જે ફાઇલિંગ ફી છે એમાં ધરખમ વધારો કર્યો છે. આ સમાચાર કંઈ એપ્રિલફુલ નથી. એ સાચા છે. સોમવા૨, ૧ એપ્રિલ, ૨૦૨૪થી લગભગ દરેક પ્રકારના ઇમિગ્રન્ટ બેનિફિટ માટે જે ફાઇલિંગ ફી આપવાની રહે છે, એમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
જેઓ પાંચ વર્ષથી વધુ સમયથી ગ્રીનકાર્ડ ધરાવતા હોય, લગ્નના આધારે જેમને ગ્રીનકાર્ડ મળ્યા હોય, તેઓ ત્રણ વર્ષથી વધુ સમય અમેરિકામાં ગ્રીનકાર્ડધારક તરીકે રહ્યા હોય અને એ પાંચ યા ત્રણ વર્ષના સમયમાં એક પણ વાર એકસાથે લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહ્યા ન હોય અને કુલ્લે અઢી યા દોઢ વર્ષ અમેરિકામાં રહ્યા હોય, તેઓ અંગ્રેજી ભાષાની, તેમ જ જનરલ નોલેજની પરીક્ષા આપીને, પોતાની ચાલચલગત સારી છે, એમણે અમેરિકામાં નિયમિત ટૅક્સ ભર્યો છે આવું દેખાડીને ‘નેચરલાઇઝેશન’ની પ્રક્રિયા દ્વારા અમેરિકાની સિટીઝનશિપ પ્રાપ્ત કરી શકે છે. આ માટે એમણે ‘એન-૪૦૦’ નંબરનું ફોર્મ ભરવાનું રહે છે. ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધી જો આ ફોર્મ દાખલ કરવામાં આવે તો અમેરિકન સિટીઝન બનવાની અરજી કરનારાએ એ માટે ૬૪૦ ડૉલરની ફી આપવાની રહે છે. પણ ૧ એપ્રિલ, ૨૦૨૪ના કે ત્યાર બાદ જો આ ફોર્મ દાખલ કરવામાં આવે તો ફાઇલિંગ ફી ૭૬૦ ડૉલરની ભરવાની રહેશે, એટલે કે હાલ જેટલી ફી છે એનાથી ૧૨૦ ડૉલર વધુ આપવાના રહેશે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 13/04/2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે