જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી.' આ વિખ્યાત કહેવત અસગર વજાહતના નાટકને કારણે ભારતીય સાહિત્યમાં વધુ જાણીતી બનેલી છે. લાહોર નામ કેવી રીતે પડ્યું એ સંબંધિત ઘણી માન્યતાઓ છે. માતા સીતા અને શ્રીરામના પુત્ર લવે આ શહેર વસાવેલું એવું પ્રચલિત છે. આજે પણ ત્યાં ક્યાંક ખૂણેખાંચરે મંદિરો અને હવેલીઓમાં રામલીલાનાં ભીંતચિત્રો હયાત છે. રજપૂતો માટે લાહોર ‘લવકોટ’ હતું. અહીંના લુહારો પરથી લાહોર નામ પડેલું એવી પણ વાયકા છે. કદાચ આથી ‘કલંક’ ફિલ્મમાં વરુણ ધવનના પાત્રને લુહાર દર્શાવવામાં આવેલું. થોડા મહિનાઓ પહેલાં લાહોર ફરી ચર્ચામાં આવેલું, હીરામંડીને કારણે. ટૂંક સમયમાં જ સંજય લીલા ભણસાલી સર્જિત આ જ નામની વેબસિરીઝ દ્વારા અતીતમાં ક્યાંક લુપ્ત થઈ ગયેલી એની રોનક પડદા પર જીવંત થશે.
લાહોરના શાહી કિલ્લાની બાજુમાં શાહી મહોલ્લા અને હીરામંડી નામક વિસ્તારો આવેલા છે. એક સમયે શાહી કિલ્લાની આસપાસનાં ચૌદ અલગ-અલગ બજારોમાંનાં આ બે બજાર આગળ જઈને એટલાં જાણીતાં બન્યાં કે સમગ્ર વિસ્તારનું સરનામું સંયુક્ત રીતે હીરામંડી બની ગયું. અકબરે લાહોર ફરતે ચણાવેલા કિલ્લાના કુલ તેર દરવાજા હતા. એમાંનો એક હતો તક્ષાલી દરવાજો. શીખ સામ્રાજ્ય દરમિયાન લાહોરના વડા હીરા સિંહ ડોગરાએ તક્ષાલી દરવાજા અંદર અનાજ માટેનું બજાર અને ગોદામ બનાવડાવેલા, જેના પરથી ‘હીરામંડી’ નામ આવ્યું હશે એવો દાવો છે. શાયરાના અંદાજમાં હીરામંડીને બાઝારએ-હુસ્ન પણ કહેવાતું, પરંતુ હવે ત્યાં મોચીઓની દુકાનો બહુમતીમાં હોવાથી એનું નવું નામ છે મોચીમંડી.
This story is from the Abhiyaan Magazine 13/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 13/04/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે