માનવી એક પ્રકારનું પ્રાણી છે. પ્રાણી એટલે જે પ્રાણ વડે અસ્તિત્વમાં છે તે. પ્રાણી અને પશુ આમ સરખાં. પશુ એટલે જે પતિ એટલે કે જુએ છે તે. પતિને ચાર વાણીમાંથી એક પશ્યતી સાથે સંબંધ ખરો. જોકે, પશ્યતીનું જોવું એ ફક્ત શારીરિક આંખથી જોવું નથી. પશ્યતી વાણીનું જોવું બંધ આંખે જોવાનું છે તેમ જ ખુલ્લી આંખે ફક્ત જોનાર માટેનું વિશેષ દેખાય તે જોવાનું છે. પશ્યતીને ત્રીજી આંખ એટલે કે આજ્ઞાચક્ર સાથે અને પિનિયલ ગ્રંથિ સાથે લેવાદેવા. માનવી એટલે કે આપણાં પ્રકારનાં પશુ માટે જોવું જીવનની સૌથી પ્રભાવી ક્રિયા બને છે. જોવાની ક્રિયા વડે જ મુખ્ય યા વધુ જથ્થામાં ગમતું અને ના ગમતું જેવા ભેદ પડે છે. જોવા કરતાં પહેલાં અન્ય ઇન્દ્રિયો કાર્ય કરે તેમ છતાં, ઘણી બાબતમાં નિર્ણયાત્મક બાબત જોવું જ બને છે. માનવીને પોતાને જે ગમે તે જોવાનું ખૂબ ગમે છે, પોતાને ના ગમે તે જોવું નથી અથવા એ બદલવું છે. એવામાં જો માનવી પોતે જે જુએ છે તે તેને ના ગમતું હોય કે ઓછું ગમતું હોય તો પણ થોડું કે વધુ ગમાડવા માંડે તો?
જન્મ્યા પછી રડવા, અડવા સિવાય બાળક જે ક્રિયા સૌ પ્રથમ કરે છે તે છે જોવું. ધ્વનિ શબ્દ સાથેનો સંબંધ એ પછી બંધાય છે. શ્રવણ જોવાની ક્રિયા પછી આવે અને વાંચન તો ઘણું પછી. શાસ્ત્રના વચન શિખવાડતાં પુસ્તક હોય કે શાળાની કિતાબ, વાંચવાની ક્રિયા પહેલા આંખ સામે રજૂ થયેલા ચિત્ર શિશુના મસ્તક સાથે જોડાય છે. આંખ ખુલ્લી હોય ત્યારે પોતાની આંખ સામે જે હોય તેને જોવું એ અવાજ કે ગંધ વગેરે ઇન્દ્રિય કરતાં વધુ અસર કરે છે. આ સાથે ભૂલથી ભૂલી ના જવાય એવી કામની માહિતી એ છે કે આંખ ઇન્દ્રિય નથી, જોવાની જ્ઞાનેન્દ્રિય ફિઝિકલ આંખ ના હોય તે પણ ધરાવી શકે છે. આંખ કેવળ સેન્સ-ઓર્ગન છે. માતાની સુગંધ અને મીઠી બોલી બાળકને આંખ બંધ હોય તો પણ વ્હાલી, પરંતુ જો એ આંખ ખોલીને જુએ કે એ વ્યક્તિ તેની મમ્મી નથી તો? મારી મા અહીં અત્યારે દેખાતી નથી તો? સુગંધ અને સ્વરના મહત્ત્વ કરતાં જોવા અથવા ના જોવાની સાર્થકતા વધી જાય.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/03/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 23/03/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે