ગીરનું જંગલ જંગલ સિંહ માટે તો જાણીતું છે જ એ ઉપરાંત તેની નેસ સંસ્કૃ તિ, માલધારીઓ, વૃક્ષો, વનસ્પતિઓ, અન્ય જીવસૃષ્ટિ પણ જોવાલાયક છે. એ જ રીતે વેળાવદરમાં આવેલા કાળિયાર નેશનલ પાર્કમાં બ્લેક બક સિવાય અન્ય પણ ઘણી વિશેષતાઓ છે. અહીંના ગ્રાસલૅન્ડ એટલે કે ઘાસિયાં મેદાનો, સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો, લૅન્ડસ્કેપ ઉપરાંત પશુપંખીઓમાં ખાસ જોવાલાયક છે એ હેરિયર પંખીઓ છે. દર વર્ષે શિયાળો ગાળવા માટે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં હેરિયર પક્ષીઓ ઉડાન ભરે છે અને વેળાવદરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. વન વિભાગ દ્વારા આ પંખીઓની ગણતરી પણ હાથ ધરવામાં આવે છે.
શિયાળો પૂર્ણ થતાં જ હેરિયર પંખીઓની પોતાના વતન તરફની રવાનગી શરૂ થઈ જાય છે. વાઇલ્ડ લાઇફ વર્લ્ડ અને પર્યાવરણપ્રેમીઓ માટે હેરિયર પંખીઓ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શિયાળાના ૩થી ૪ મહિના સુધી જે નિવાસ કરે છે એ ઘટનાને નોંધનીય માનવામાં આવે છે અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે આ ગૌરવરૂપ વાત પણ છે. આ વર્ષે પણ અઢીથી ત્રણ હજાર જેટલાં પંખીઓ માઇગ્રેટ થઈને અહીં આવ્યાં હતાં અને હવે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતા જ વળતી ઉડાન ભરી છે. તેઓ રિટર્ન થઈ રહ્યાં હોવાથી હવે માંડ ૧૦૦-૧૫૦ હેરિયર પંખીઓ ઉદ્યાન આસપાસ જોવા મળે છે. ટૂંક સમયમાં એ પંખીઓ પણ અહીંથી પરત ફરશે.
Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 23/03/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વાયરલ પેજ
એકો ચેમ્બરઃ પડઘાની દુનિયામાં ડૂબવું નહીં
ચર્નિંગ ઘાટ
પ્રવાસ વર્ણન કેવી રીતે કરશો?
એનાલિસિસ
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
રાજકોટનો અગ્નિકાંડ
હાઈકોર્ટ, સરકાર અને વહીવટી તંત્ર
વિઝા વિમર્શ,
એફ-૧ સ્ટુડન્ટ વિઝા સ્ટેપ બાય સ્ટેપ
‘ગદર-૨' જેવો ધમાકો કરી શક્શે સની દેઓલની લાહોર ૧૯૪૭’?
સની દેઓલ – રાજકુમાર સંતોષી – આમિર ખાનની આગામી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ વિશેની રસપ્રદ જાણકારી
લાફ્ટર વાઇરસ
એક ‘ઉમેદ’વાદી ઉમેદવારનું વચનબદ્ધ પ્રવચન!
આપણા પૂર્વજોએ ભોજનને ઈશ્વર કેમ માન્યું હશે?
વ્યક્તિ જ્યારે ચાર જણા વચ્ચે પોતાનું ટિફિન ખોલે ત્યારે એ ટિફિન એના પરિવારનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ટિફિન એ ત્રણ ચાર ડબ્બાઓમાં સાથે લવાયેલું ઘર છે.
કચ્છનાં બાળકો ભણી રહ્યાં છે સંસ્કૃતમાં
ગયા જમાનાની મનાતી ભાષા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી કચ્છમાં ત્રણ પાઠશાળા ચાલે છે. દર અઠવાડિયે અને વૅકેશન દરમિયાન સંસ્કૃત સંભાષણના વર્ગો પણ ચાલે છે. ભલે બહુ ઓછી સંખ્યામાં વિદ્યાર્થી સંસ્કૃત શીખે છે, પરંતુ લોકોનો ઝુકાવ આ ભાષા તરફ વધ્યો છે એ નક્કી. જોકે મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડી થવા માટે જ પાઠશાળામાં આવે છે, પરંતુ અહીંથી શીખીને બહાર આવેલા સંસ્કૃત બોલી, વાંચી, લખી શકે છે. તેઓ સંસ્કૃત ગ્રંથોનું વાંચન કરવા, સાહિત્ય રચવા પણ સક્ષમ બની શકે છે.
જ્યાં પ્રવેશ માટે માર્કશીટ જોવામાં નથી આવતી
એક એવી શાળા જેના આંગણે આવનાર દરેક વિદ્યાર્થી શિક્ષણનો હકદાર છે