નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ
ABHIYAAN|December 09, 2023
૫૫૦પથારીની આ નેચરોપથી હૉસ્પિટલમાં ૪૦ ટકા પથારી આર્થિક રીતે નબળા લોકો માટે રખાય છે. ડ્રગલેસ પ્રાકૃતિક ચિકિત્સા ઇચ્છતા સમૃદ્ધોનું આ સ્વર્ગ એક્સો એકરમાં છવાયેલું છે. અહીંના સમય પત્રકમાં ફુરસદનો સમય ઍરોબિક્સ, સ્વિમિંગ જેવી રિક્રિએશન પ્રવૃત્તિથી સભર છે.
રક્ષા ભટ્ટ
નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ

આસો-કારતકના પર્વીય દિવસો સાથે જ શિયાળાનો હૂંફાળો પ્રવેશ આંગણામાં આળેખેલી રંગોળીના રંગ લઈ આપણી આસપાસ વીંટળાઈ જાય છે. લીલાં શાકભાજીથી સભર માર્કેટ, વહેલી સવારથી શહેરનાં ઉદ્યાનો અને રસ્તાઓ પર ચાલતાં અને દોડતાં શહેરીજનો, જ્યૂસ-સલાડ અને ઉકાળાથી અખંડ સવાર-બપોર-સાંજ અને યમ-નિયમ, યોગ અને પ્રાણાયામથી પ્રસન્ન આખો માહોલ હૃદય-મનની બંધ બારીઓને ખોલી આપણને એકદમ શુદ્ધ કરી જીવનની ગાડીમાં તાજું એન્જિન ઓઇલ પૂરવાનું કામ કરે છે.

શરીર-મનના આવા હાર્મોનિયસ લ્યુબ્રિકેશનમાં ભારતનું વૅલનેસ ટૂરિઝમ વિશ્વ કક્ષાએ અવ્વલ નંબરે આવે છે. નિસર્ગોપચાર, યોગ, આયુર્વેદ અને વૈદિક ઉપચારોની આ ભૂમિમાં વિશ્વ કક્ષાની હસ્તીઓ તનમનથી રિચાર્જ થવા ભારત આવે છે અને ખરા અર્થમાં રિચાર્જ થાય છે; હળવાફુલ અને તાજા-માજા થાય છે અને તદ્દન નવી ઊર્જાથી ફરી પોતાને કામે ચડે છે. આવા રિજૂવેનેટિંગ અનુભવમાં નેચરોપેથી એટલે કે નિસર્ગોપચારનો ફાળો અનેક ગણો છે. આ નિસર્ગોપચાર કોઈ જાતની શસ્ત્રક્રિયા અને દવાઓ વગરનો એવો ઉપચાર છે જે એવું કહે છે કે આપણી પ્રકૃતિમાં જ આપણા શરીરનાં દર્દ મટાડવાની અમાપ શક્તિ પડેલી હોય છે. શુદ્ધ હવા-પાણી, પ્રકાશ અને ભોજનથી આપણે જાતે જ આપણી સારવાર કરવા સક્ષમ છીએ. યોગ્ય આહાર-વિહારનો પાયો નાખી શરીર-મનની સ્વસ્થતાનું પ્રસન્ન ઘર બાંધતાં આવા નિસર્ગોપચાર ના અનેક ઉત્તમ સેન્ટર્સ ભારતના ‘વૅલનેસ' ડેસ્ટિનેશન્સ છે જેમાં જિંદાલ નેચરચૂર સંસ્થા વર્થ બિઇંગ એટની યાદીમાંનું એક છે.

‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીઝ’ના નામથી સુવિખ્યાત આ નિસર્ગોપચાર સંસ્થા બેંગ્લોર ઍરપોર્ટથી ઉત્તર-પશ્ચિમે ૨૭ કિ.મી. દૂર રહેલા જિંદાલ નગરમાં આવેલી છે. બેંગ્લોર રેલવે સ્ટેશનથી ૧૭ કિ.મી.ના અંતરે પાર્લે-જી બિસ્કિટ ફેક્ટરી આસપાસ લૉકેટ થયેલા આ વૅલનેસ સેન્ટરમાં ઑક્ટોબરથી ફેબ્રુઆરીની ખુશનુમા ઋતુમાં જવું હોય તો ત્રણેક મહિના અગાઉ ઓનલાઇન એડવાન્સ બુકિંગ કરાવી આપણે આપણા જીવનના એકાદ શિયાળાને એક લાંબી હગ આપી તદ્દન નવી નક્કોર ઊર્જાથી ભરી શકીએ છીએ.

This story is from the December 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the December 09, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 mins  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 mins  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 15/06/2024